विशुद्धविज्ञानमगाधसौरव्यं
विश्वस्य बीजं करुणापयोधि:।
अनाद्यनन्तं प्रकृते: परस्तात्
तत्तत्त्वमेकं भुवि रामकृष्ण:॥
જે વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ, અગાધ આનંદ સ્વરૂપ છે; વિશ્વના આદિકારણ, કરુણાસાગર, અનાદિ-અનંત તથા પ્રકૃતિથી પણ અતીત છે, તે એકમાત્ર તત્ત્વ આ પૃથ્વી પર શ્રીરામકૃષ્ણરૂપમાં અભિવ્યક્ત છે.
न नेति भीत्या श्रुतयो वदन्ति
वदन्ति साक्षान्न च यं कदाचित्।
चिदेकरुप: शिव ईश्वराणां
महेश्वरोऽसौ भुवि रामकृष्ण:॥
જેને શ્રુતિઓ ભયથી ‘નેતિ નેતિ’ કહે છે, તથા ક્યારેય (સ્પષ્ટ) વર્ણન નથી કરતી; જે અદ્વિતીય, ચૈતન્ય સ્વરૂપ, મંગલમય તથા ઈશ્વરોના પણ મહેશ્વર છે, તે આ પૃથ્વી પર શ્રીરામકૃષ્ણ છે.
(શ્રી પ્રમદાદાસ મિત્ર રચિત ‘શ્રીરામકૃષ્ણાષ્ટકમ્’માંથી)
Your Content Goes Here




