શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં નિયમિત લાઈવ સ્ટ્રીમ કાર્યક્રમો
દરરોજ સંધ્યા આરતી, સ્તોત્ર, ભજનો અને દર એકાદશીના દિવસે શ્રીરામનામ સંકીર્તનના કાર્યક્રમો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવે છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઓનલાઈન સત્સંગનું આયોજન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૦મી એપ્રિલથી દરરોજ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી ગુણેશાનંદજી મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત પર પ્રવચન, ભજનો તેમજ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ દ્વારા પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ આ સત્સંગમાં હોય છે. આ કાર્યક્રમ અત્યંત લોકપ્રિય થયો છે. દેશ-વિદેશના સેંકડો ભક્તો નિયમિત રૂપે આ સત્સંગનો દિવ્ય આનંદ લે છે. તેમજ અતિ સુંદર પ્રતિભાવો પણ મોકલે છે.
Your Content Goes Here





