શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં નિયમિત લાઈવ સ્ટ્રીમ કાર્યક્રમો

દરરોજ સંધ્યા આરતી, સ્તોત્ર, ભજનો અને દર એકાદશીના દિવસે શ્રીરામનામ સંકીર્તનના કાર્યક્રમો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવે છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઓનલાઈન સત્સંગનું આયોજન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૦મી એપ્રિલથી દરરોજ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી ગુણેશાનંદજી મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત પર પ્રવચન, ભજનો તેમજ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ દ્વારા પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ આ સત્સંગમાં હોય છે. આ કાર્યક્રમ અત્યંત લોકપ્રિય થયો છે. દેશ-વિદેશના સેંકડો ભક્તો નિયમિત રૂપે આ સત્સંગનો દિવ્ય આનંદ લે છે. તેમજ અતિ સુંદર પ્રતિભાવો પણ મોકલે છે.

Total Views: 484

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.