૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ રવિવારે રાજકોટની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અત્યંત ગરીબ પરિવારનાં બાળકોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પવિત્ર વાતાવરણમાં આવીને શ્રીઠાકુરપૂજા, વેદમંત્રોચ્ચાર, ભજનસંગીત, રમતગમત, શિક્ષણવાચનની એક અનોખી શિક્ષણ તાલીમ મેળવીને શિક્ષણ પ્રત્યેનો અભિગમ કેળવ્યો હતો. આવી શિક્ષણ અને મૂલ્યલક્ષી કેળવણીની આ સંસ્થામાં અવારનવાર યોજાતી તાલીમ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસરુચિ કેળવાશે અને ભવિષ્યમાં એક સારા પ્રબુદ્ધ નાગરિક બનશે.

Total Views: 219

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.