आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं,
प्रत्यायान्ति गताः पुनर्न दिवसा कालो जगद् भक्षकः।

लक्ष्मीस्तोयतरंगभंग चपला विद्युच्चलं जीवितं,
तस्मान्मां शरणागतं शरणद् त्वं रक्ष रक्षाघुना॥

જોતજોતામાં આયુષ્ય હંમેશાં નાશ પામતું રહે છે, યુવાની નાશ પામી રહી છે, ગયેલા દિવસો પાછા આવતા નથી; કાળ જગતને ખાઈ રહ્યો છે; લક્ષ્મી પાણીનાં મોજાંના વમળ જેવી ચંચળ છે, વીજળીના ઝબકારા જેવું ક્ષણિક જીવન છે; તેથી હે શરણાગતવત્સલ, શરણે આવેલા મને હવે બચાવો, બચાવો.

-શિવાપરાધક્ષમાપનસ્તોત્ર ૧૩

Total Views: 405

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.