શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ કોરોના રાહતકાર્ય

કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી રહેલા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫૦૦૦ માસ્ક આપવામાં આવ્યાં હતાં. રામકૃષ્ણ મઠ, અમદાવાદના સ્વામી મંત્રેશાનંદે તારીખ ૧૯મી મે ના રોજ અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા (IPS), અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ અજય તોમર (IPS), અધિક પોલીસ કમિશ્નર સ્પેશ્યલ બ્રાંચ પ્રેમવીર સિંહ (IPS), અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૨ નિપુણા તોરવણેને આ માસ્ક સુપ્રત કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા આ પહેલાં રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે પણ ૧૫૦૦ માસ્ક અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આપવામાં આવ્યાં હતાં. આ સિવાય માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, ભુજ, ઉપલેટા અને માંડવીના જરૂરિયાતમંદ ગરીબ પરિવારોમાં કુલ મળીને ૧૫૭૨ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના રાહત કાર્ય અંતર્ગત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૭ એપ્રિલના રોજ રાજકોટ શહેરના શાકભાજી વિક્રેતા રેંકડીધારકો માટે ૧૫૦૦ માસ્ક ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે જીવનજરૂરી કીટ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આપવામાં આવ્યાં હતાં. આ સિવાય ૧ થી ૨૫ એપ્રિલ સુધીમાં આવશ્યક ચીજવસ્તુઓની કીટનું ૨૩૦ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના મફતીયાપરા, લક્ષ્મીનગર, ગોંડલ રોડ, ગાયત્રીનગર, મવડી પ્લોટ, કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર, આંબેડકર નગર, નાના મવા રોડમાં અને અમદાવાદમાં ૩૦, ભુજમાં ૪૫, ઉપલેટામાં ૨૫, અને માંડવીમાં ૧૧૦ ગરીબ પરિવારોમાં પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલાં માર્ચ માસમાં પણ અમદાવાદ, ભુજ, માંડવી અને પારેવડા વિસ્તારમાં કુલ ૯૩૬ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Total Views: 416

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.