ગુરુપૂર્ણિમાના પાવનકારી પર્વ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫ જુલાઈ, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં સવારથી મંગલ આરતી, વિશેષ ભજન, પૂજા, હવન અને પ્રવચનનું આયોજન થયું હતું. બપોરે ભોગ આરતી પછી ૧૮૦૦ થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સત્યયુગ શ્રીરામજી મંદિર દ્વારા નિર્મિત સુખ્યાત ભજનિક શ્રી જયંતીભાઈ પટેલના કંઠે ગવાયેલ ભજનોની વિડિયો ડીવીડી ‘પરબ્રહ્મની આરાધના’નું વિમોચન સ્વામી ધ્રુવેશાનંદના વરદ હસ્તે થયું હતું. અને ભક્તોમાં વિનામૂલ્યે વિતરણ થયું હતું.

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.