રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય
૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ અને રાધનપુરનાં ૪૫ ગામડાંમાં થયેલ વિતરણ
| ચીજવસ્તુ | બેલુર મઠ | વડોદરા મિશન |
| ચોખા | ૧૦૧૫૦ કિલો | ૧૮૦૯ કિલો |
| મગદાળ | ૩૦૪૫ કિલો | ૧૧૨.૫ કિલો |
| તુવેરદાળ | ૩૯૬ કિલો | |
| મીઠંુ | ૧૦૧૫ કિલો | |
| તેલ | ૧૦૧૫ કિલો | ૨૮૩.૫ કિલો |
| ખાંડ | ૧૦૧૫ કિલો | |
| ચા | ૧૦૧.૫ કિલો | |
| ઘઉંનો લોટ | ૧૦૧૫૦ કિલો | ૧૪૧૭.૫ કિલો |
| બાજરીનો લોટ | ૧૪૧૭.૫ કિલો | |
| જુવારનો લોટ | ૨૮૩.૫ કિલો | |
| મરચું પાઉડર | ૨૦૩ કિલો | |
| હળદર પાઉડર | ૧૦૧.૫ કિલો |
| ચીજવસ્તુ | બેલુર મઠ | વડોદરા મિશન |
| ધાણાજીરૂ | ૧૦૧.૫ કિલો | |
| ચણા | ૨૦૩૦ કિલો | |
| દૂધનો પાઉડર | ૨૦૭.૫ કિલો | |
| મીણબત્તી | ૧૨૧૮૦ નંગ | |
| બાકસ બોક્સ | ૧૦૧૫ નંગ | |
| મીક્સ ફરસાણ | ૫૦૭.૫ કિલો | |
| નમકીન | ૯૦૦ કિલો | |
| પારલે બિસ્કીટ | ૩૦૪૫ નંગ | ૫૬૭ નંગ |
| તાલપત્રી | ૧૦૧૫ નંગ | |
| થાળીવાટકા | ૫૬૭ નંગ | |
| સ્ટીલના ગ્લાસ | ૫૫૯ નંગ | |
| ગરમ મસાલા | ૪૫ |
બીલખાના પવિત્ર આનંદ આશ્રમમાં યોજાયેલ સાધના શિબિર
૨ અને ૩ સપ્ટેમ્બરના રોજ બીલખાના મહાન ચિંતક નથુરામ શર્માના આનંદ આશ્રમમાં બે દિવસની સાધના શિબિરનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયું હતું. રામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદ; પોરબંદર મિશનના સચિવ સ્વામી આત્મદિપાનંદ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી પ્રભુસેવાનંદ, સ્વામી ઇષ્ટમયાનંદ, સ્વામી દયાર્ણવાનંદ, શંકરેશાનંદ; વડોદરા મિશનના સ્વામી મંત્રેશાનંદ, યોગસિદ્ધાનંદ; આ ઉપરાંત ઉજ્જૈનથી આવેલા અતિથિ સંન્યાસી સ્વામી આદિત્યાનંદની નિશ્રામાં ગુજરાતભરના ૨૦૦ જેટલા ભક્તોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ શિબિરમાં જપ, ધ્યાન, ભજન, સદ્ગ્રંથવાચન, વૈદિક મંત્રોચ્ચાર, મંગળા આરતી, સંધ્યા આરતી, રામનામ સંકીર્તન, દક્ષિણામૂર્તિ સ્તોત્ર પઠન, શ્રીમાનામ સંકીર્તન તથા આસપાસનાં પાવનધામોનાં દર્શનનો લાભ બધા ભાવિકોએ લીધો હતો.
૨ સપ્ટેમ્બરે રાત્રે રામનાથ શિવમંદિરના પરિસરમાં ધૂણો જલાવીને શ્રીરામકૃષ્ણ અષ્ટોત્તર નામ સાથે ઘીની આહુતિ અપાઈ હતી. બે દિવસ સુધી બીલખામાં જાણે કે એક દિવ્યાનંદનું મંગળ અને પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં પ્રેરક પ્રવચનો પણ યોજાયાં હતાં. આનંદ આશ્રમના સંવાહકોએ ભોજન-અલ્પાહાર અને ઉતારાની સુંદર વ્યવસ્થા કરી હતી. આનંદ આશ્રમથી વળતી યાત્રામાં ૩ સપ્ટે.ના રોજ કાગવડ પાસે આવેલ સુખ્યાત ખોડલધામ સંકુલની મુલાકાતને ભાવિકોએ માણી હતી. ચા-નાસ્તાની મજા માણીને સાધકોએ ગોંડલમાં ભુવનેશ્વરીપીઠની મુલાકાત વખતે ભુવનેશ્વરીમાતાનાં દર્શન કર્યાં અને ત્યાં રાત્રિભોજન લીધું હતું.
Your Content Goes Here




