૧૩મી ઑગસ્ટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે શ્રી કુલશેખરાચાર્ય વિરચિત મુકુંદમાલા સ્તોત્રના થોડા શ્લોકો રજૂ કરીએ છીએ. ગુજરાતી સમશ્લોકી અનુવાદ શ્રી જયંતીલાલ મંગલજી ઓઝાએ કર્યો છે.

वसंततिलका

श्रीवल्लभेति वरदेति दयापरेति
भक्तप्रियेति भवलुण्ठनकोविदेति ।
नाथेति नागशयनेति जगन्निवासे-
त्यालापनं प्रतिपदं कुरु मे मुकुन्द ॥१॥

(વસંતતિલકા)

શ્રીનાથ! હે વરદ! હે કરુણાનિધાન!
હે ભક્તબંધુ! ભવભંજનમાં પ્રવીણ!
હે નાથ! નાગશયના! જગના નિવાસ!
આલાપ આ નિત કરાવ મને મુકુન્દ! (૧)

(मालिनी)

जयतु जयतु देवो देवकीनन्दनोऽयं
जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः ।
जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गः
जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः ॥२॥

(માલિની)

જયતુ, જયતુ દેવા! દેવકીના સુપુત્ર!
જયતુ, જયતુ કૃષ્ણા! વૃષ્ણિજંશપ્રદીપ!
જયતુ, જયતુ મેઘશ્યામ! હે કોમલાંગ!
જયતુ, જયતુ પૃથ્વી-ભાર-નાશી-મુકુન્દ! (૨)

(उपजाति)

मुकुन्द मूर्ध्ना प्रणिपत्य याचे,
भवन्तमेकान्तमियन्तमर्थम् ।
अविस्मृतिस्त्वच्चरणारविन्दे
भवेभवे मेऽस्तु भवत्प्रसादात् ॥३॥

(ઉપજાતિ)

મુકુન્દ! નામું શિર આપને હું
ને યાચતો કેવળ આટલું જ :
‘ભવે ભવે આપ તણે પ્રસાદે,
ભૂલું કદીના ચરણાવિંદ’ (૩)

(मंदाक्रान्ता)

नाहं वन्दे तव चरणयोर्द्वन्द्वमद्वन्द्वहेतोः
कुम्भीपाकं गुरुमपि हरे नारकं नापनेतुम् ।
रम्या रमा मृदुतनुलता नन्दने नापि रन्तुं
भावे भावे हृदयभवने भावयेयं भवन्तम् ॥४॥

(મંદાક્રાંન્તા)

ના હું વંદું તવ ચરણને છૂટવા દ્વન્દ્રમાંથી,
કે હું વંદું હરિ! ન બચવા નારકી યાતનાથી;
ચાહું ના હું અમરપુરમાં રમ્ય રામાવિલાસ,
જન્મે જન્મે મુજ હૃદયમાં, ભાવ તારો જ યાચું. (૪)

नास्था धर्मे न वसुनिचये नैव कामोपभोगे
यद्यद्भव्यं भवतु भगवन् पूर्वंकर्मानुरूपम् ।
एतत्प्रार्थ्यं मम बहुमतं जन्मजन्मान्तरेऽपि
त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु ॥५॥

આસ્થા ધર્મે, ધનઢગ મહીં કે ન કામોપભોગે,
જે કોઈ આ સ્થિતિ સકળ તે! પૂર્વકર્માનુરૂપ;
આ હું પ્રાર્થું મુજ હૃદયથી જન્મજન્માન્તરેયે,
પામું ભક્તિ સ્થિર વિમલ આ પાદપદ્મે તમારે (પ)

(वैतालीय)

दिवि वा भुवि वा ममास्तु वासो
नरके वा नरकान्तक प्रकामम् ।
अवधीरितशारदारविन्दौ
चरणौ ते मरणेऽपि चिन्तयामि ॥६॥

(વૈતાલીય)

જગ કે સ્વરગે ભલે નિવાસ,
નરકે હો નરકાન્તકારિ! મારો;
મરણે પણ ધ્યાઉં પાદ તારા,
વધુ જે શારદ પદ્મથી પ્રફુલ્લ. (૬)

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.