कदाचित् कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुपः।
रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥

જે ક્યારેક યમુના નદીના કિનારે વૃંદાવનને (વાંસળીના) સંગીતથી ભરી દે છે; જે ધીમે ધીમે સંગીત લહેરાવે છે અને (યમુના નદીના જ વાદળી પાણીની જેમ) વહે છે; (ત્યાં) એક કાળી મધમાખીની જેમ જે ગોપીઓના આનંદિત મુખના (સ્વરૂપમાં) ખીલેલા કમળનો આનંદ માણે છે; જેમના ચરણકમળની પૂજા હંમેશાં રામ, શિવ, બ્રહ્મા, ઇન્દ્રદેવ અને શ્રીગણેશ દ્વારા કરવામાં આવે છે; તે જગન્નાથ સ્વામી મારી દૃષ્ટિનું કેન્દ્ર બને.

भुजे सव्ये वेणुं शिरसि शिखिपिच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन्‌।
सदा श्रीमद्‍वृन्दावनवसतिलीलापरिचयो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥

જેમના ડાબા હાથમાં વાંસળી છે અને મસ્તક પર મોરનું પીંછું ધારણ કરે છે; જેમની કમર પર શોભે છે સુંદર રેશમી વસ્ત્રો; જે આંખોના ખૂણેથી તેમના સાથીઓ તરફ જુએ છે; જે હંમેશાં વૃંદાવનમાં તેમની દિવ્ય લીલાઓ પ્રગટ કરે છે જે વનશ્રીથી ભરેલું છે; તે જગન્નાથ સ્વામી મારી દૃષ્ટિનું કેન્દ્ર બને..

(‘શ્રીજગન્નાથ અષ્ટકમ્‌’માંથી)

Total Views: 25
By Published On: June 1, 2025Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.