(૧) જનાર્દન સ્વામી પવિત્ર અને પરમ ધર્માનુરાગી હતા. એકનાથના પિતા પુત્રને એમની પાસે શીખવા લઈ ગયા. સ્વામીએ છોકરાને બધી બાજુથી જોઈ લીધો.

– અરે! આ છોકરો તો ભવિષ્યમાં ચોક્કસ મહાન બનશે.

– સારું, હું એને વિદ્યાર્થી રૂપે સ્વીકારું છું. તમે જઈ શકો છો.

(૨) ગુરુજી તો શિષ્યને ખૂબ કાળજીથી ભણાવવા માંડ્યા. એકનાથ પણ એમની ખંતથી સેવા કરતો.

– ગુરુને શેનાથી ગર્વ મળે છે, એ તું જાણે છે? સારો વિદ્યાર્થી ગર્વ અપાવે. તારા દ્વારા હું મહાન બનીશ.

– આપની અમીકૃપા મને સહાય કરશે.

(૩) એક દિવસ મધરાતે એકનાથ કંઈક વ્યાકુળતાથી શોધતો હતો. એકાએક તે હસીને તાળીઓ પાડવા મંડ્યો. ગુરુજી જાગી ગયા અને જોયું..

– એકનાથ, આ કાળી રાતે ઊંઘને ઉડાડીને શું કરે છે?

– ગુરુજી, હિસાબમાં એક પૈસાની ભૂલ આવતી હતી. મને ભૂલ મળી ગઈ એટલે હું રાજી થઈ ગયો.

– એમ, આટલી ઉત્કટતાથી જો તું પ્રભુનું ધ્યાન ધર તો તું આનંદભાવમાં ડૂબી જઈશ. આ યાદ રાખજે.

(૪) ગુરુની કૃપાથી એકનાથ ધ્યાન શીખ્યો. ક્રોધને જીતી લીધો. એક દિવસ ગંગાસ્નાન કરીને પાછો આવતો હતો, કોઈક એના પર થૂંક્યું.

– ભલે, ફરીથી ગંગાસ્નાન કરી લઈશ.

(૫) એણે તો ફરીથી સ્નાન કર્યું પણ પેલો વ્યક્તિ ફરી થૂંક્યો. એણે શાંતિથી ફરી ગંગાસ્નાન કર્યું.

(૬) આવું ૧૦૮વાર બન્યું. પછી પેલો એને ચરણે પડી ગયો.

– મેં તમારી મહાનતા વિશે સાંભળ્યું છે. હું એને કસતો હતો. મને માફ કરો. તમારાં ચરણમાં રાખો.

– ક્ષમા! એ તો પ્રભુનું જ કામ.

(૭) એક વખત સ્નાન કરીને ધ્યાનમાં બેસતી વખતે એક રડતા અને નદીની ગરમ રેતીમાં તરફડતા બાળકને જોયું. એને લઈને માબાપને સોંપી દીધું.

– મહારાજ, અમે તો અસ્પૃશ્ય! તમારે એને અડવું નહોતું જોઈતું!

– પ્રભુ પાસે બધા સમાન. મારી ફરજ મેં બજાવી. ચિંતા ન કરો.

(૮) રામુ એક સફાઈ કામદાર હતો. તે સદ્‌ગુણી અને સંસ્કારી હતો. તેણે આવીને એકનાથજીને પ્રણામ કર્યા.

– ગુરુજી મારી એક ઇચ્છા છે. એક દિવસ તમે અમારા ઘરે આવીને જમશો?

– બસ, આટલું જ! હું આવીશ.

(૯) હરિજનવાસમાં આનંદ ઉત્સવ! ધજા-પતાકા અને સાજ-શણગાર! રામુએ એકનાથને ભાવથી જમાડ્યા.

– મહારાજ, આવું સાદું ભોજન તમને કેમ ભાવશે?

– ચિંતા ન કર. મારે મન તો અમૃતનો કોળિયો છે.

(૧૦) એકનાથની જન્મભૂમિ પૈઠણમાં એક ગરીબ વૃદ્ધા હતી. હજારેક લોકોને જમાડવા ઇચ્છતી હતી.

– આ જન્મારામાં તો આ ન થઈ શકે, પણ એક કામ કર. એકનાથ ભક્ત અને સંત છે. એને તું ગમે તેમ કરીને જમાડ. એ એક હજારને જમાડ્યા જેવું છે.

(૧૧) હરખાતી વૃદ્ધા તો એકનાથને ભોજન માટે આમંત્રણ આપીને આવી. એકનાથના પુત્ર હરિપંડિતને આ ગમ્યું નહિ. છતાંયે પિતા સાથે ગયો. ભોજન પછી..

– હરિ, દાદીમાને કામથી બચાવવા તું આ પાંદડાં દૂર કરી દે.

(૧૨) એણે એક પાંદડું ખસેડ્યું તો બીજું એની નીચે હતું.

– અરે! આ એક નીચે બીજું પાંદડું!

(૧૩) હરિ પાંદડું ખસેડતો ગયો, નીચે પાંદડું નીકળતું ગયું. આમ હજાર પાંદડાં ખસેડ્યાં.

– ગુરુજી, તમે માનવ નથી. તમે તો મુક્તિદાતા ભગવાન છો.

(૧૪) એકનાથ ભક્ત જ ન હતા, પણ એક પ્રખર લેખક અને સમાજસેવક હતા. બનારસમાં એમણે લખેલ ગ્રંથોની શોભાયાત્રા દ્વારા પુસ્તક સન્માન થયું હતું.

– ભાવાર્થ રામાયણ

– રુક્અઇમણી વિવાહ

– એકનાથની પવિત્રસેવા

– જય હો!

(૧૫) મહારાષ્ટ્રમાં એકનાથે ચોરનેય સુધાર્યા. આજે પણ ઘણે સ્થળે એમનાં ભજનો ગવાય છે.

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.