प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं
सिन्दूरपूरपरिशो भितगण्डयुग्मम् ।
उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड
माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् ।।
જે ઇંદ્રાદિ દેવેશ્વરના સમુદાયથી વંદનીય છે, અનાથના બંધુ છે, જેમના કપોલ-યુગલ સિંદુરથી અનુરંજિત થયા છે, જેઓ મહાન પ્રબળ વિઘ્નોનો વિનાશ કરવા પ્રચંડ દંડરૂપ છે, એ ગણેશ ભગવાનનું હું પ્રાતઃ સમયે સ્મરણ કરું છું.
(સ્તોત્રરત્નાવલી : ૨૪૭ / ૧)
Your Content Goes Here




