यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः ।
अथ मर्त्योऽमृता भवत्यत्र ब्रह्म समश्नुते ॥
આ સાધકના હૃદયમાં આશ્રય કરીને રહેલી સર્વ કામનાઓ જ્યારે સમૂળગી છૂટી જાય છે ત્યારે તે મર્ત્ય અર્થાત્ મરણધર્મી મનુષ્ય અમર થઈ જાય છે અને આ શરીરથી જ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જાય છે.
यदा सर्वे प्रभिद्यन्ते हृदयस्येह ग्रन्थयः ।
अथ मर्त्योऽमृतो भवत्येतावद्धयनुशासनम् ॥
જ્યારે (એના) હૃદયની બધી ગાંઠો સારી પેઠે ખૂલી જાય છે ત્યારે મરણધર્મી મનુષ્ય આ જ શરીરમાં અમર થઈ જાય છે, બસ આટલો જ સનાતન ઉપદેશ છે.
(કઠોપનિષદ : ૨/૩/૧૪-૧૫)
Your Content Goes Here




