नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये।
सत्यं वदामि च भवानखिलान्तरात्मा॥

भक्तिं प्रयच्छ रघुपुङ्गव निभरां मे।
कामादिदोषरहितं कुरु मानसं च॥

હે રઘુનાથજી! હું સત્ય કહું છું અને આપ સર્વના અન્તરાત્મા છો (તેથી સર્વ જાણો છો) કે મારા હૃદયમાં બીજી કાંઈ ઇચ્છા નથી.

હે રઘુકુલશ્રેષ્ઠ (શ્રી રામચંદ્રજી) ! મારા મનમાં માત્ર આટલી જ ઇચ્છા છે કે મને આપની સંપૂર્ણ ભકિત આપો અને મારા મનને કામાદિ દોષોથી રહિત કરો.

Total Views: 584

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.