क्षिप्रं विजानाति चिरं शृणोति विज्ञाय चार्थ भते न कामात्।
नासम्पृष्टो व्युपयुङ्क्ते परार्थे तत् प्रज्ञानं प्रथमं पण्डितस्य ॥

પંડિતનું પ્રથમ લક્ષણ એ છેકે તે ઝડપથી સમજી જાય છે. બીજાની વાતને ધૈર્યપૂર્વક લાંબા સમય સુધી સાંભળે છે. તે સમજણપૂર્વક કામને દૂર રાખી અર્થને સ્વીકારે છે તે પારકાના કાર્યમાં કહ્યા વગર ચંચુપાત કરતો નથી.

निश्चित्वा यः प्रक्रमते नान्तर्वसति कर्मणः ।
अवन्ध्यकालो वश्यात्मा स वै पण्डित उच्यते ॥

જે નિશ્ચયપૂર્વક કાર્યનો આરંભ કરે છે, જે કાર્યની વચ્ચે અટકી પડતો નથી (અર્થાત્‌ કાર્યને પૂર્ણ કર્યા વિના છોડતો નથી), જે સમય વ્યર્થ જવા દેતો નથી અને જે મનને વશ રાખે છે, તે જ પંડિત કહેવાય છે..

(વિદુરનીતિ – શ્લોક – ૨૩, ૨૫)

Total Views: 145
By Published On: November 1, 2009Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.