दीपायमान – नखरा – द्भदुर्गमार्गे
शय्यायमान-चरणा-दपवर्गसौधे ।
प्रेंखायमान- विहृतेः परभक्तिवाट्या-
मन्यं परेशमवयामि न रामकृष्णात् ॥२५५॥
विज्ञान-काञ्चनगिरौ शिखरायमाणा-
देकान्तभक्तिजलधौ तरलायमानात्।
कारुण्य-चिक्कणसुधासु सितायमाना-
दन्यं परेशमवयामि न रामकृष्णात् ॥२५६॥
સંસારદુર્ગપથમાં નખ દીપ શા છે,
ને મોક્ષના ભવનમાં ચરણો જ શૈયા;
ઝૂલે વિહાર કરતા પરભક્તિ બાગે,
ના અન્ય કો મમ પરેશ્વર રામકૃષ્ણ. ૨૫૫
વિજ્ઞાન-હેમગિરીના શિર જેમ શોભે,
એકાન્ત ભક્તિનિધિમાં અતિ ઊર્મિ જેવા;
કારુણ્યઅમૃતમહીં શુભ શર્કરા શા,
ના અન્ય કો મમ પરેશ્વર રામકૃષ્ણ. ૨૫૬
(‘શ્રીરામકૃષ્ણ કણામૃત’)
Your Content Goes Here




