योगानन्दकरी रिपुक्षयकरी धर्मेकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी ।
सर्वेश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी ॥

યોગનો આનંદ ઉત્પન્ન કરનારાં, દુશ્મનનો નાશ કરનારાં, માત્ર ધર્મમાં જ દૃઢ નિષ્ઠા પેદા કરનારાં, ચંદ્ર, સૂર્ય, અગ્નિમાં પ્રકાશિત થનાર તેજની લહરીવાળાં, ત્રણે લોકનું રક્ષણ કરનારાં, સર્વ પ્રકારના ઐશ્વર્યનું સર્જન કરનારાં, તપનું ફળ આપનારાં, કાશીનગરની અધિષ્ઠાત્રી દેવી, કૃપાનું અવલંબન કરનારાં માતા- અન્નપૂર્ણા તમે મને ભિક્ષા આપો!

अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्धयर्थं भिक्षां देहि च पार्वति ॥

હે અન્નપૂર્ણા, હે સદા પરિપૂર્ણ, હે શંકર ભગવાનનાં પ્રાણપ્યારાં, હે માતા પાર્વતી! જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ માટે ભિક્ષા આપો!

माता च पार्वतीदेवी पिता देवो महेश्वरः ।
बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥ 

પાર્વતીદેવી મારાં માતા છે, મહેશ્વરદેવ શંકર પિતા છે, અને શંકરના ભક્તો સ્વજનો છે, તથા ત્રણે લોક (મારો) દેશ છે.

(अन्नपूर्णा स्तोत्र – श्लोक : ३,११,१२)

Total Views: 141
By Published On: October 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.