मा भैष्ट पुत्रि तव नास्ति भयं भवस्य श्रीरामकृष्णचरणौ शरणागताऽसि ।
शान्ति यदीच्छसि परां तव मा स्म दर्शः छिद्रं तु कस्यचिदपीह जगत्तवैव ॥

હે પુત્રી! તું ડરીશ નહિ, તેં તો શ્રીરામકૃષ્ણનું શરણું સાધ્યું છે. તારે વળી ભવભય ક્યાંથી હોય? હું એક વાત કહું છું, જો તારે મનની શાંતિ જોઈતી હોય તો બીજા કોઈના દોષ જોવા નહિ. તેથી ઊલટું તમારાં જ દોષ જોતાં શીખો. આખી દુનિયાને તમારી કરતાં શીખો, અહીં કોઈ અજાણ્યું નથી, બેટા! આખી દુનિયા તારી પોતાની જ છે.

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.