(ન્યુયૉર્ક, રીજલે મૅનૉરમાં ૧૮૯૯માં રચેલું કાવ્ય)
નિહાળ, આવે બલથી ભરેલ એ.
એ શક્તિ જે માનવકેરી શક્તિ ના;
પ્રકાશ એ જે તિમિજે નિગૂઢ;
પ્રભા જ્વલંતી મહીં છાય જે વળી.
એ છે મહાનંદ, સુમૂક જે સદા;
વિષાદ ઘેરો, અનુભૂત ના કદી;
અમર્ત્ય એ જીવન ના જિવાયું;
વિલાપવ્હોણું ચિર મૃત્યુ છે એ.
એ છે નહીં આ સુખ, દુઃખ આ નહીં,
આ બેઉથી છે જ અતીત એ ક્યહીં;
એ છે નહીં દિવસ, એ ન રાત્રિ,
એ બેઉને એક કરંત તત્ત્વ એ.
સંગીતમાં એ મધુરો વિરામ;
એ અંતરો સર્જનમાં કલાના;
વાણી વચાળે રહી મૂકતા એ;
બે ક્ષોભ વચ્ચેની ઉરપ્રશાન્તિ એ.
સૌન્દર્ય એ જે નહીં દૃષ્ટિએ પડ્યું;
એકાકી, ફૂટસ્થ મહાન પ્રેમ એ;
એ ગીત છે જે ન હજી ગવાયું;
ને જ્ઞાન એ જે ન હજી જણાયું.
બે જિન્દગીની વચમાંનું મૃત્યુ એ;
બે સિન્ધુતોફાન વચાળ શાંતિ એ;
એ શૂન્ય છે સૃષ્ટિ જહીંથી ઉદ્ભવી,
અને જહીં અંત મહીં મળી જતી.
વિષાદનાં અશ્રુ બધાં તહીં વહે;
પ્રસન્ન કોઈ સ્મિત પ્રસ્ફુરાવવા;
આ જિન્દગીનું બસ લક્ષ્ય એ જ,
એ એકમેવ ગૃહ એનું – શાન્તિ !
-સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




