ઝાડ પોતાના પાંદડાને પૂછે :
તને આંસુ આવે તો કોણ લૂછે?

પાન ઝીણકોક ખોંખારો ખાતું
સોયઝાટકી ટટાર થઇ જાતું
કહે : ‘હું ના કશાયથી દૂણાતું
મને વીંઝે તું એમ હું વીંઝાતું

મને ડૂમો ભરાય એવું શું છે?’

ઝાડ બોલ્યું : ‘તું ટપ્પ દઇ તૂટશે
મારા લીલા ખાબોચિયા, તું ખૂટશે
પાનખરને બે હાથ જ્યારે ફૂટશે
ત્યારે સગપણની ગાંઠ્યું આ છૂટશે

મારી વાચાનું પુંકેસર તું છે!’

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.