प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम्।
खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधमद्वितीयम् ।।

સંસારના ભયનો નાશ કરનાર, દેવોના સ્વામી, ગંગાને ધારણ કરનાર, વૃષભ રૂપી વાહનવાળા, અંબિકાના સ્વામી, ખટ્વાંગ, ત્રિશૂલ, વરદાન અને અભયની મુદ્રાયુક્ત હાથવાળા, સંસારના રોગને હરવામાં અજોડ ઔષધસમા ભગવાન શિવનું પ્રાતઃ સમયે હું સ્મરણ કરું છું.

प्रातर्नमामि गिरिशं गिरिजार्धदेहं सर्गस्थितिप्रलयकारणमादिदेवम्।
विश्वेश्वरं विजितविश्वमनोऽभिरामं संसाररोगहरमौषधमद्वितीयम् ।।

પાર્વતી રૂપી અર્ધદેહવાળા સંસારની ઉત્પત્તિ-સ્થિતિ-લયનું કારણ, આદિદેવ, વિશ્વવિજયી અને મનોહર, સંસારના રોગને હરવામાં અજોડ ઔષધસમા ભગવાન શિવનું પ્રાતઃ સમયે હું સ્મરણ કરું છું..

(‘શ્રીશિવસ્ય પ્રાતઃ સ્મરણમ્’, શ્લોક ૧-૨)

Total Views: 528

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.