અંતઃસ્ત્રોતા જાહન્વી જળે
જો સ્નાન કરીએ નિશદિન,
સઘળી છોડી શિથીલતા
જો દૃઢ઼મન ભજીએ ભગવન!

તો આપણા જેવા અનેકમાંથી
કાંઈક પામે, ભાવ-સ્મરણ!
ભલે વ્યસ્ત હો દિનચર્યાએ
દિનાન્તેય કરીએ ઇષ્ટચિંતન!

(ઠાકુર એજ કહે છે)

ભલે રહો જગતે વ્યસ્ત,
ઝાલી એક હાથ ઈશ્વરનો!
કરી કામ પૂરાં, બેઉ હાથે
કરો ઇષ્ટ કર્મ ‘ને કીર્તન!

રસેશ અધ્વર્યુ
જુલાઈ ૨૦૨૩

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 155

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.