પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક સારા પંડિતને જાણું છું પણ તેને ખેતીનું ખૂબ જ કામ રહે છે, એ મુશ્કેલી છે. એની પાસે ચાર હળ અને આઠ બળદ છે અને આખો વખત એમાં જ એ વ્યસ્ત હોય છે અને એને જરાય ફુરસદ નથી.’

એટલે પેલા માણસે કહ્યું : ‘ફુરસદ ન હોય તેવા પંડિતની મને જરાય પડી નથી. હળ ને બળદોનો ભાર વેંઢારતા સંસારી ભાગવત-પંડિતનું મારે કામ નથી. પવિત્ર પુરાણ સારી રીતે સમજાવે તેવા પંડિતની મને જરૂર છે.’

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.