રણકાર તો ઘંટનો સરખો જ છે, પણ શાળા એક મંદિર બને તો કેવું!

વિદ્યાર્થીમમદેવ, હું પૂજારી, ને કર્મ પૂજા બને તો કેવું!

ભણતર મટે બોજ, ઉજવીએ ઉત્સવ રોજ, એવું બને તો કેવું!

પરીક્ષાની અંધારી કોટડીમાં, જ્ઞાનનો દિપ જલાવાય તો કેવું!

પળભર રુકી, સ્પર્ધાની હાંફમાં, એકાદ શ્વાસ જીવનનો લેવાય તો કેવું!

સ્વાર્થબુદ્ધિ તેજસ્વી તારકોની, ત્યાગ-સેવાથી રંગાય તો કેવું!

જીવન ઘડતાં, વ્હાલા શિશુનું, ખુદનું જીવન ઘડાય તો કેવું!

શાળા અમારા બન્નેનું એ બંધન, તે મુક્તિનું કારણ બને તો કેવું!

મા શારદાનું બાળ બની, બસ તેની ગોદમાં પોઢી જાય તો કેવું!

– કિરીટ વાઘેલા

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.