તમને ગુરુ અને સિદ્ધ પુરુષની આણ છે, હે મારા જીવ, તમે સાચું બોલો. અને સાચું બોલી ન શકો તો પછી મૌન રહો.

‘અંબર વરસે ને અગાધ ગાજે’સહસ્રારમાંથી અમૃતની વર્ષા થાય છે. અનાહત નાદ ગાજી ઊઠે છે. દાદુર – તરબોળ થયેલી ઈન્દ્રિયો આનંદમગ્ન થઈ ગઈ છે. ‘કંઠ વિનાની કોયલ’ બહારના કોઈ સાધન અને સૂર વિના આત્માના પરમ આનંદનું ગાન કરી રહેલ છે.

‘ગુરુજીની રે’ણી’ ગુરુની વાણી જ નહીં પણ તેની રહેણી – કરણીને જીવનમાં સાચી બતાવતો સત્યનો સૂર્ય પ્રકાશી ઊઠ્યો. મારા ગુરુવચનનું એક બિંદુ મેં જીવનમાં ઉતાર્યું તો તે સાક્ષાત્કાર બનીને મહામૂલ્યવાન બની ગયું.

‘વણ રે વાદળ’વાદળ વિના વરસાદ કહીએ એવી અમૃતમેઘ સમી આત્માનુભૂતિ થઈ. ભીતર જ્ઞાનનો સૂરજ ઊગ્યો. જીવનની વાડી પરમ આનંદના પાકથી લચી પડી. કોઈ ચતુર સુજાણ – જાગૃત માણસ જ આવો અમર – જીવનનો પાક લણી શકે છે.

‘બાવન અખર જો કોઈ બૂઝે’આ સંસારને જ જો કોઈ બરાબર સમજી જાય, તેનું ચંચળ અને નાશવંત સ્વરૂપ પામી જાય તો ભવાનીદાસ કહે છે કે તે એક અક્ષ૨માં, ઓમ્ માં, ૫રમાત્મામાં સ્થિર થઈ જાય. જે નામનો કદી નાશ નથી એ નામમાં તે એકરૂપ બની જાય.

ગોરખનાથ કહે છે:

‘એક આખર જપીલા ગોરખ,

આતીત અનુપમ જ્ઞાનં.’

‘એક અક્ષરનો જપ કરીને ગોરખે અનુપમ જ્ઞાનને જાણી લીધું.

Total Views: 231

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.