પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી
અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી;
જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ વિસારી?…પ્રભુ.
આભઝરૂખેથી તારલિયાની રજકણ વેરે રૂપેરી;
મારે ખોબે ના’વી એક કણીયે, અંધારી રહી મુજ શેરી!… પ્રભુ.
હૈયાની હાથ ધરીને કટોરી, ધરધર અલખ પુકારી;
દેવે ન દીધું તે જગને બારણિયે મારે જડ્યું સુખકારી…પ્રભુ
ઉર કટોરીનું મૂકી ઉશીકું, ઝોળીની કીધ પથારી,
હાથ પસારી સૂતો હું, ત્યારે વરસ્યો તું પ્રેમફુવારી.
હવે શેમાં ઝીલું અરે હું ભિખારી?
હું પ્રભુ! શેમાં ઝીલું અરે! હું ભિખારી!

– ઉમાશંકર જોશી

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.