રામ મેં કર્યા ગુરુ મન માની.
શ્રવણ પડ્યું શુભ નામ કે સુંદર આવી યાદ પુરાની,
રામ મેં કર્યા ગુરુ મન માની.
કામિની કાંચન ત્યાગ કરીને, જીવ, જાવ નિરવાની,
કથનામૃતની પ્રથમ અંજલિ, પીતાં ગઈ ગુમાની.
રામ મેં કર્યા ગુરુ મન માની.
સગુણ નિર્ગુણી ભેદ મિટાવ્યો, ખોલી સબરસ-ખાની,
ઈશ્વર માયા, માયા ઈશ્વર, કૂંચી સકલ દ્વિધાની.
રામ મેં કર્યા ગુરુ મન માની.
અનંત હે અદ્ભુત અપાર!
હે પરમહંસ મહાજ્ઞાની!
રામકૃષ્ણ! હરિભજન કાજ
મને આપો શુદ્ધ મતિ બાની.
રામ મેં કર્યા ગુરુ મન માની.

– સ્વ. મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.