तमसि भ्रष्टमार्गाणा-मुषसि स्पष्टवर्त्मनाम् ।
शरणं रामकृष्णस्य चरणं सर्वदेहिनाम् ॥३४॥
અંધારે ભટકતાં ને,
ઉષામાં સ્પષ્ટ દેખતાં;
જ્ઞાની ને અજ્ઞ એ સૌનો,
આશરો રામકૃષ્ણ છે.
मन्त्रान् जपन्तु निगमान् निखिलान् पठन्तु
यागान् यजन्तु निगमान् विविधांश्चरन्तु ।
प्रव्रज्य यान्तु हिमवच्छिखरं किमेभि
र्मुक्त्वा गदाधरकृपां न भवेद्विमुक्तिः ॥३५॥
મન્ત્રો જપે નિગમને બહુ કંઠ ધારે,
યજ્ઞો કરે વિવિધ કર્મ કરે ભલે ને!
ત્યાગી બની કરત વાસ ભલે હિમાળે,
છોડી ગદાધરકૃપા ન બને વિમુક્ત.
‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૩૪-૩૫)
Your Content Goes Here




