आप्तोक्तिं खननं तथोपरि शिलाद्युत्कर्षणं स्वीकृतिम्
निक्षेपः समपेक्षते नहि बहिः शब्दैस्तु निर्गच्छति ।
तद्वत् ब्रह्मवित् उपदेशमननध्यान आदिभिः लभ्यते ।
मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः ।।65।।
જેવી રીતે ધરતીમાં દાટેલું ધન તેને પોકારવાથી મળી જતું નથી, પરંતુ એ ધન મેળવવા જ્ઞાની વ્યક્તિ પાસેથી સાંભળીને (માર્ગદર્શન મેળવીને), માટીને ખોદીને, ઉપરના પથ્થર વગેરેને દૂર કરીને એ ધનને બહાર કાઢવું પડે છે; તેવી જ રીતે પોતાના (અહંકાર આદિ) માયાથી મુક્ત વિશુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન પણ કેવળ તર્કવિતર્કથી નહીં, પરંતુ બ્રહ્મજ્ઞાનીઓએ આપેલ ઉપદેશ તથા તેનાં મનન – ધ્યાન વગેરેથી પ્રાપ્ત થાય છે.
तस्मात् सर्वप्रयत्नेन भवबन्धविमुक्तये ।
स्वैरेव यत्नः कर्तव्यो रोगादाविव पण्डितैः ।।66।।
એટલે જ રોગાદિ થવાથી વ્યક્તિ પોતે જ તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે,
તેવી જ રીતે વિવેકી વ્યક્તિનું એ કર્તવ્ય છે કે તે ભવબંધનમાંથી મુક્ત થવા માટે પોતે જ સર્વપ્રકારે પ્રયત્ન કરે.
Your Content Goes Here





