તપ અનર્ગળ ને તું આર્ય!
ના રાજસી ભભકની ભૂરકીથી ભ્રાન્ત
દૂરે વિદેશ કંઈ યોજનાથી અગ્રગણ્ય
આ પુણ્યભૂમિથી પ્રભાવિત, આવવું થૈ
‘સ્વામી’ની પાછળ જ પાછળ પ્રેરણા લે
ખૂટી જવું અખૂટ પુણ્ય અહીં મૂકીને;
તે તો હતી તુજ અદમ્ય અગ્રાગ્ર ચર્ચા
પોતે છૂટી પ્રકૃતિથી-નિજ બંધનોથી
સાક્ષાત્કૃતિ તું તુજ આત્મની પામવાને,
સ્વેચ્છાથી સર્વ ત્યજી સાગર સાત ખેડી
સન્નારી! સંચરી તું, જે અમૃતસ્ય સેતુ
– હીરાબહેન પાઠક
Your Content Goes Here




